મોરબી જિલ્લામાં કાલે રાત્રે 9 કલાકે શેરીઓની તેમજ જરૂરી સેવાઓની લાઈટો ચાલુ જ રહેશે : કલેકટર

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે રાત્રે 9 કલાકે દરેક લોકોને વડાપ્રધાનની અપીલમાં સ્વૈચ્છિક રીતે જોડાવા જિલ્લા કલેકટર જે.બી. પટેલે અનુરોધ કર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે રાત્રે સ્ટ્રીટ લાઈટ, હોસ્પિટલની લાઈટ તેમજ આવશ્યક સેવાઓની લાઈટો ચાલુ જ રહેશે. તેમજ ઘરોમાં પણ વીજ ઉપકરણો જેવા કે ટીવી, ફ્રીઝ અને એસીને બંધ ન કરવા અનુરોધ કરાયો છે. ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને પણ કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવા આદેશ અપાયો છે.

- text