મોરબીની મચ્છુ નદીમાં વધુ એક કોઝવે બનાવવાની માંગ ઉઠાવતા ધારાસભ્ય

- text


વિધાનસભાના સત્ર દરમિયાન મોરબીના સતત પ્રાણ પ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય

મોરબી : ગુજરાત વિધાનસભાના હાલમાં ચાલી રહેલા સત્ર દરમિયાન મોરબીના ધારાસભ્ય મોરબીના પ્રાણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય મેરજાએ વિધાનસભામાં મોરબીની મચ્છુ નદીમાં વધુ એક કોઝવે બનાવવા માટેપોઇન્ટ ઓફ ઓર્ડર આપવાની માંગ કરી હતી.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભાના સત્ર દરમિયાન મોરબીના પ્રાણ પ્રશ્નોની વિગતવાર રજુઆત કરી હતી કે મોરબીમાં વધતી જતી ટ્રાફિકની ગીચતાને ધ્યાને લઈને મોરબીની મધ્યે પસાર થતી મચ્છુ નદીમાં હાલ મયુર પુલ નીચે અને જોધપર મચ્છુ ડેમ પાસે એમ બે કોઝવે આવેલા છે. તે ધોરણે ત્રીજા કોઝવે મોરબીના જુના પાંજરાપોળ પાછળ મચ્છુ નદીમાં જે પાઝ આવેલી છે. તેમાં સમયાંતરે બેઠોપુલ (કોઝવે) કરીને સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશને નીકળે તેવું આયોજન કરવા માર્ગ અને મકાન વિભાગને અગાઉ રજુઆત કર્યા બાદ તેમણે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવતા શહેરી વિકાસ વિભાગે આ બાબત તબદીલ કરાયની વિગતો જણાવો હતી.

- text

આથી, તેમણે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને અગાઉના કોઝવે જે માર્ગ અને મકાન વિભાગે કર્યો તે મુજબ આ કોઝવે માર્ગ અને મકાન વિભાગે કરવો જોઈએ તેવી માંગ કરી હતી. તેમજ તેમણે સિનિયર સિટીઝન વિધેયકની ચર્ચામાં ભાગ લઈને મોરબીના નરસંગ ટેકરી પાસે આવેલા વૃદ્ધોના વિસામાં લીલાલેરનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. મોરબી રાજકોટ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અન્વયેના પ્રશ્નના જવાબમાં કુટીર ઉધોગ મંત્રીએ મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 2255 માંગણીઓ મળી અને તેમાંથી 762 માંગણીઓ મંજુર થઈ હોવાનું અને આવક, વય મર્યાદા અને પ્રોજેકટ પ્રોફાઈલ કીટ રદ થવા સહિતના કારણોસર બાકીની માંગણીઓ નામંજૂર થઈ હોવાનું જણાવ્યું હતું.તેમજ મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ છેલ્લા બે વર્ષની કામગરી અંગેના એમના પ્રશ્નના જવાબમાં 3,99,294 માનવદિન રોજગારી ઉભી થયાનું જણાવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાને ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ ન થાય એવી તાકીદ કરી હતી.

- text