મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં 180 મણ ઘઉંની જરૂરિયાત : દાતાઓને મદદની અપીલ

- text


મોરબી : મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં ઘઉંની જરૂરિયાત ઉભી થઇ છે. કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતા રસોડામાં આશરે દર મહિને 15 મણ ઘઉંની જરૂરિયાત રહે છે. આથી વર્ષમાં આશરે 180 મણ ઘઉંની જરૂરિયાત હોય છે. હાલમાં સંસ્થા પાસે આશરે 15 થી 20 દિવસના ઘઉં ઉપલબ્ધ છે. આથી, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના હાતીમ એસ. રંગવાલા (મો.નં. 94299 78930 – લક્ષ્મીનગર) દ્વારા ઘઉંની જરૂરિયાતને પહોંચી વળવા દાતાઓને મદદની અપીલ કરવામાં આવી છે.

- text