મોરબીમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર દ્વારા નિદાન-સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : આજ રોજ તા. 07-03-2020 ના રોજ ‘જન ઔષઘી દિવસ’ નિમિતે મોરબીના શનાળા રોડ પર આવેલ ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર’ ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મફતમાં દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔસધી કેન્દ્રો’ સાથે લાઈવ વિડિયો સંવાદ નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા ભાજપ પૂર્વપ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઈ ગરચર સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text