- text
મોરબી : બેલા ગામમાં ખહલી મેલડી મિત્ર મંડળ દ્વારા મેલડી માતાના મંદિરના લાભાર્થે આગામી તા. 11 માર્ચના રોજ રાત્રે 9-30 કલાકે નવા પ્લોટ ખાતે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોવિંદ ગોપાલ (સાધું બિરજા ગામ વાળા) તથા લોક સાહિત્યકાર (નીરવભાઈ વાઘેલા) ભજનોની પ્રસ્તુતિ કરશે.
- text