મોરબી : અનાથાશ્રમમાં વડીલનું અવસાન થતાં સામાજિક કાર્યકરોએ કરી અંતિમવિધિ

- text


મોરબી : લખધીરપુર એન્ડાઉમેન્ટ દ્વારા સંચાલિત વીસીપરા સ્થિત માતૃશ્રી બાજી રાજબા અનાથાશ્રમ ખાતે રહેતા 85 વર્ષીય આશ્રમવાસી હીરાલાલ બાબુલાલ ચુડાસમાનું અવસાન થતાં સામાજિક કાર્યકર એવા ફિલ્ડ ઓફિસર મહેન્દ્ર નટવરલાલ પોપટ દ્વારા શાસ્ત્રોક્ત રીતે સદગતની અંતિમવિધિ કરાવવામાં આવી હતી. જેમાં રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઇ ભંભાણી સાહિતના કાર્યકરો જોડાયા હતા.

- text