મોરબીના સામાકાંઠે બે પાનની દુકાનને સળગાવી દેવાનો હીંચકારો પ્રયાસ

- text


કોઈ અજાણ્યા શખ્સોએ ગતરાત્રે ઈરાદાપૂર્વક જવલંત પદાર્થ છાંટીને દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો

મોરબી : મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ બે પાનની દુકાનોને સળગાવી દેવાનો હીંચકારો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઈરાદા પૂર્વક બન્ને દુકાનોને જ્વલનશીલ પદાર્થ છાટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવથી સ્થાનિક વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text

મોરબીના સામાકાંઠે પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફીસ પાછળ નઝરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ નાગલ પાન અને ડિલકસ પાનની દુકાનને ગતરાત્રે સળગાવી દેવાનો હીંચકારો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં નાગલ પાનની દુકાન ચલાવતા દિવ્યાંગ દિનેશભાઇ ટુંડીયાએ જણાવ્યું હતું કે આજે સવારે નિત્યક્રમ મુજબ તેઓ પોતાની દુકાને આવ્યા હતા અને દુકાનના તાળા ખોલી રહ્યા હતા. ત્યારે અચાનક તેમને ધ્યાને આવ્યું હતું કે શટર એકદમ કાળું હતું અને પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થની ગંધ આવતી હતી. આથી, ચકાસણી કરતા કોઈએ ગતરાત્રીના સમયે તેમની દુકાનના બંધ શટર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. તેમની દુકાન ઉપરાંત ડિલકસ પાનની દુકાનને અજાણ્યા શખ્સોએ સળગાવી દેવાનો ઈરાદા પૂર્વક હીંચકારો પ્રયાસ કર્યો હતો. આ બનાવની તેમણે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ બનાવને પગલે સ્થાનિક વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text