મોરબીમાં ભરવાડ સમાજનો મંગળવારે સમૂહ લગ્નોત્સવ

- text


મોરબી : મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી તા. 4 ફેબ્રુઆરીના રોજ જુના ઘુંટુ રોડ પર આવેલ ત્રાજપર ચાર રસ્તા પેટ્રોલ પંપ પાછળના સ્થળે યોજવામાં આવેલ છે. આ સમૂહ લગ્નોત્સવમાં 32 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. જેમાં ભાવપર વાળા કિશોરભાઈ પંડ્યાના આચાર્ય પદે શાસ્ત્રોક્ત વિધિથી દંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશે. આ સમૂહ લગ્નોત્સવમાં તા. 3એ સવારે 8-30 કલાકે મંડપ મુહૂર્ત કરવામાં આવશે. તેમજ તા. 4ના રોજ સવારે રાસ-ગરબા તથા હસ્ત મેળાપ વિધિ રાખવામાં આવ્યા છે. આ અવસરે દાતાઓ દ્વારા કન્યાઓને કરિયાવરમાં અનેક વસ્તુઓ આપવામાં આવશે.

- text