વાંકાનેર : દેશભક્તિને અનુરૂપ ગીત સંગીતની સુરાવલી સાથે 71મુ પ્રજાસત્તાક પર્વ ઉજવાયું

- text


વાંકાનેર : વાંકાનેરમાં માર્કેટ ચોક ખાતે 26 મી જાન્યુઆરી 71 માં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગણેશ ઉત્સવ સમિતિ માર્કેટચોક દ્વારા ગણતંત્ર દિવસની રાત્રીના એક સૂર સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ કલાકારોએ દેશભક્તિના ગીતોથી લોકોમાં દેશભક્તિની ભાવનાનો અદભુત રીતે સંચાર કર્યો હતો. સુરસંધ્યા કાર્યક્રમમાં દેશ માટે શહીદ થયેલ સૈનિકોને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી.આ કાર્યક્રમમાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ વોરા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસ, ઈન્દુભા જાડેજા, ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, યોગેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા સ્ટાફ તેમજ વાંકાનેરની જનતાએ આ કાર્યક્રમ ફુલ ગુલાબી ઠંડીમાં મોડી રાત્રી સુધી નિહાળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુનિલભાઈ મહેતા અને અમીતભાઈ સેજપાલે ભારે જહેમત ઉઠાવી હતી.

- text