વાંકાનેર : સીરામીક ઉદ્યોગમાં બાળમજૂરો પાસે કામ કરાવાતું હોવાની ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઢુંવા ચોકડી પાસે આવેલા લીસન સીરામીક કારખાનામાં બાળમજૂરો પાસે કામ કરાવાતું હોવાની ફરિયાદ શ્રમ અધિકારી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 21 જાન્યુઆરીના રોજ મોરબી મદદનીશ શ્રમ આયુકતની કચેરીના શ્રમ અધિકારી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી મનોજભાઇ રમેશભાઇ અમૂતીયા (ઉ.વ. ૩૭, રહે. બ્લોક નં. ૯૦ સુભાષનગર સોસાયટી, રવાપર રોડ મોરબી) તથા રાજુભાઇ રામજીભાઇ રીબડીયા (ઉ.વ. ૫૧, રહે. રામકૂષ્ણનગર, પંચાસર રોડ, મોરબી) વિરુદ્ધ માટેલ રોડ પર ઢુંવા ચોકડી પાસે આવેલા લીસન સીરામીકમાં સીરામીક ઉદ્યોગ જોખમી ઉદ્યોગની યાદીમા આવતો હોવા છતા ૧૮ વર્ષથી નીચેના વ્યક્તિઓ પાસે કામ કરાવવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text