મોરબીમા વિચરતી વિમુક્ત જાતિનું સંગઠન બનાવવા અર્થે બેઠક યોજાઇ

- text


મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે વિચરતી વિમુક્ત જાતિનું સંગઠન બનાવવા અર્થે સમાજમાંથી આગેવાનોની પસંદગી કરવા માટેનો એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિચરતી વિમુક્ત જાતિના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે રામધન આશ્રમના મહંત તરીકે પૂ. ભાવેશ્વરી માતાજીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનવવા માટે વિચરતા સમુદાય સમર્થન સંસ્થા સૌરાષ્ટ્રના વિભાગીય સંયોજક કનુભાઇ બજાણીયા અને છાયાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

- text