મોરબી : નિ:શુલ્ક મેડિકલ નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ લીલાપર પાંજરાપોળ ખાતે નિષ્ણાત ડો. દેવિકાબેન મહેતાના પોતાના જન્મદિવસ નિમિત્તે ગત તા. 29 ડિસેમ્બરના રોજ નિ:શુલ્ક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા નિ:શુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે રશ્મિભાઈ દેસાઈ, કે. સી. મહેતા, ચંદ્રલેખાબેન તેમજ મોરબી-લીલાપર પાંજરાપોળના સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ છે.

- text