મોરબીના જાગૃત નાગરિકો દ્વારા શહેરના રોડ-રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અંગે કલેક્ટરને આવેદન

- text


મોરબી : મોરબીના રહેવાસી મેહુલભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, બ્રિજેશભાઈ પટેલ, રવિભાઈ દેસાઈ સહિતના જાગૃત નાગરિકો દ્વારા શહેરના રોડ-રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અંગે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.

- text

આ આવેદનપત્ર અનુસાર મોરબીના કલેકટરને ગત તા. 17 ઓક્ટોબરના રોજ મોરબી શહેરના રોડ-રસ્તાનું સમારકામ, સફાઈ, નવા રસ્તા બનાવવા તથા કેનાલ રોડ પર દિવસ દરમ્યાન નો એન્ટ્રી કરવા અને શહેરની અંદરથી પસાર થતા હેવી વાહનોના કારણે ઊડતી ધૂળનું નિરાકરણ કરવા આવેદન આપવામાં આવેલ હતું. જેના પર કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. તેથી, આગામી ૩૦ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો શહેરીજનો ઉપવાસ પર બેસશે તેવી ચીમકી આપવામાં આવી છે તથા આ પ્રશ્નને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં લેવા કલેકટરને અરજી કરવામાં આવેલ છે.

- text