લુણસર તાલુકા શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : લુણસર તાલુકા શાળાના આચાર્ય વાઘેલા દલાભાઈ કચરાભાઈની વયનિવૃત્તિના સન્માન તથા લુણસર તાલુકા શાળામાં અભ્યાસ કરી ચૂકેલા સ્વ. ડૉ. એલ. એચ. ત્રિવેદી (કિડની વિભાગના ભૂતપૂર્વ વડા સિવિલ હોસ્પિટલ – અમદાવાદ)ને શ્રદ્ધાંજલિરૂપે સમસ્ત લુણસર ગામ તરફથી આજે તા. 28 ડિસેમ્બરના રોજ શનિવારે લુણસર તાલુકા શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં રક્ત દાન કર્યું હતું. આ રક્ત દાન કેમ્પને સફળ બનાવવા માટે આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text