યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં ગરીબોને ધાબળા વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ‘સંવેદના’ અભિયાન અંતર્ગત દર વર્ષની માફક આ વર્ષે પણ ઠંડીની સીઝનમાં ધાબળા વિતરણ કરાયું હતું.

- text

વર્ષોની પરંપરા જાળવી રાખતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરો દ્વારા ‘સંવેદના’ અભિયાન હેઠળ આ વર્ષે પણ ઝૂંપડપટ્ટીમાં રહેતા, ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરાયું હતું. આ ગ્રુપના મેમ્બરોએ મોડી રાત્રે ઠંડીમાં નિઃસહાય સુતા ગરીબ અને બેઘર પરિવારોને ધાબળા ઓઢાડ્યા હતા. પાછલા ઘણા વર્ષોથી યંગ ઇન્ડિયા ગ્રુપ દર શિયાળામાં ધાબળા વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવે છે. સાથોસાથ તેઓનું આ કાર્ય અન્ય લોકોને પણ કરુણા અને સહાયની પ્રેરણા આપે છે.

- text