- text
મોરબી : મોરબીમાં રહેતા ભૂમિતભાઈ કેલૈયા દ્વારા તેની દીકરી એંજલના જન્મ દિવસ નિમિત્તે આવતીકાલે તા. 21 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 વાગ્યે પંકજભાઈ ગાંઠિયાવાળા અને માર્કેટિંગ યાર્ડ સામે, છોટા લાલ પેટ્રોલ પંપની બાજુમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં જે ફાળો એકઠો થાય એ તમામ અબોલ જીવની સેવામાં અર્પણ કરવામાં આવશે. આ ડાયરામાં કલાકાર ભરતભાઈ ભજનિક (મોડપર વાળા) અને મિલનભાઈ પટેલ (મોરબી વાળા) પોતાની કળાની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. જેનો લાભ લેવા માટે ભૂમિતભાઈએ મોરબીની જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
- text