મોરબી સિરામિક એસોસિયેશન તથા SGSTના સંયુક્ત ઉપક્રમે કાલે વેરા સમાધાન યોજના અંગે સેમિનાર

- text


મોરબી : મોરબી સિરામિક એસોસિયેશન અને એસ.જી.એસ.ટી ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તારીખ 11/12/2019 ને બુધવારના રોજ સવારે 10.30 કલાકે એસોસિયેશન હોલ ખાતે રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલ વેરા સમાધાન યોજના – 2019 વિશે સંપૂર્ણ માહિતી આપતો એક સેમિનાર રાખવામાં આવેલ છે. આ સેમિનારમાં SGST જોઇન્ટ કમિશ્નર ત્રિવેદી સાહેબ, જોઇન્ટ કમિશ્નર શેખ સાહેબ, ડેપ્યુટી કમિશ્નર ડૉ. બી. કે. પટેલ સાહેબ અને ડેપ્યુટી કમિશ્નર ગોયાણી સાહેબ હાજર રહીને નવી જાહેર કરાયેલ વેરા સમાધાન યોજના બાબતે વિસ્તૃત માહિતી આપશે. આ સેમિનારમાં સમયસર હાજર રહેવા તમામ મેમ્બરોને અપીલ કરવામાં આવી છે. અને વેટનું કામ કરતા કન્સલ્ટન્ટોને પણ જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. જેથી, તેઓ પણ આ મિટિંગમાં હાજર રહી શકે, તેમ મોરબી સિરામિક એસોસિએશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text