મોરબી : અખંડ જ્યોત સાથે માં ઉમિયાની શોભાયાત્રા નીકળી

- text


મોરબી : ગત તા.01/12/2019ના રોજ નિજ મંદિરથી માં ઉમિયા અખંડ જ્યોત સાથે શોભાયાત્રા અને જવારા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ (સનહાર્ટ ગ્રુપ) દ્વારા માતાજીના રથમા માં ઉમિયાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ ડી. એન. ગોલ દ્વારા માતાજીની અખંડ જ્યોતની સ્થાપના કરવામાં આવેલ હતી. માતાજીના રથ સાથે ઉમા નગરમાં 5100 બહેનો દ્વારા જવારા યાત્રા, અખંડ જ્યોત યાત્રા કાઢવામાં આવેલ હતી. આ ઉપરાંત, લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય મુખ્ય યજમાન ગોવિંદભાઇ (સનહાર્ટ ગ્રુપ) દ્વારા તા.1થી 16 સુધી પાઠશાળાનો પ્રારંભ કરવામાં આવેલ હતો.

- text