આપવાનો આનંદ : પીપળીયા ગામના યુવાનોએ ગરીબોને જમાડ્યા

- text


મોરબી : સામાન્ય રીતે, લોકો જન્મદિવસની કે બીજા કોઈ ખાસ દિવસની ઉજવણી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કે દાન-પુણ્ય કરતા હોય છે કે જેથી તે દિવસ યાદ રહે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે જેઓ કોઈ ખાસ દિવસ માટે નહીં પરંતુ માત્ર આપવાના આનંદ ખાતર પરોપકારી પ્રવૃતિઓ કરી નિજાનંદ મેળવતા હોય છે. ત્યારે પીપળીયા ગામના યુવાનોએ પણ કોઈ જાતના સ્વાર્થ વિના પ્રેમપૂર્વક ગરીબોને જમાડી તેના ચહેરા પરની ખુશી જોઈને ખુશીની અનુભૂતિ કરી હતી.

- text

મોરબી તાલુકાના પીપળીયા ગામમાં રહેતા મૌલીક, રાહુલ, કલ્પેશ, આનંદ, દુષ્યંત સહિતના યુવકોએ પછાત વિસ્તારમાં જઈ સેવાકીય પ્રવૃત્તિ કરવાના હેતુથી ગરીબ પરિવારોને જમાડ્યા હતા. તેમજ મનુષ્યમાં રહેલી સેવાકીય ભાવનાને જાગૃત કરવા સેવાકીય પ્રવૃત્તિ થકી સંદેશ પાઠવ્યો હતો.

- text