હળવદ : ટીકર રોડ પરના મકારી હનુમાનજી મંદિરના મહંતને માર મારી લૂંટી લેવાયા

- text


રૂ.૩૦ હજાર રોકડા,ગેસનો બાટલો,બે બોરી ચોખા સહિતની વસ્તુઓની લુંટારુ લૂંટ ચલાવી ગયાનો મહંતે નિદેશ આપ્યો

હળવદ: હળવદ શહેરમાં આવેલ મકારી હનુમાનજી મંદિર ખાતે ગત મોડીરાત્રીના લુંટારુ શખ્સો ત્રાટકયા હતા મંદિરમાં રહેતા મહંતને મારી ૩૦હજાર રૂપિયા એક ગેસનો બાટલો બોરી ચોખા સહિતની વસ્તુઓ લઈ ગયા હોવાનું મહંત દ્વારા જણાવાયું છે.આ બનાવને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે.અને આ સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ટીકર રોડ પર મકારી હનુમાનજીનું મંદિર આવેલું છે અહીં દયાલ ગિરી બાપુ છેલ્લા કેટલાક વર્ષોથી કૂતરાઓને દૂધ ચોખા રોટલા ખવડાવીને નિસ્વાર્થ સેવાઓ કરી રહ્યા છે.ત્યારે મંદિરમાં ગત રાત્રીના દયાલ ગીરી બાપુ સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સો લૂંટના ઇરાદે આ મંદિરમાં ખબકયા હતા અને અજાણ્યાં શખ્સોએ મંદિરમાં પ્રવેશ કરી મહંતને મુંઢ માર માર માર્યો હતો.તેમજ રૂ. ૩૦ હજાર રોકડા બે બોરી ચોખા એક ગેસનો બાટલો લુટારૂ શખ્સો લઈ ગયા હોવાનું દયાલગીરી બાપુએ જણાવ્યું હતું

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ટીકર રોડ પર આવેલા આ પૌરાણિક મંદિરના મહંત પર અગાઉ પણ એક વખત ચોર ટોળકી શખ્સો દ્વારા ચોરીના બનાવને અંજામ આપવા હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે ગત રાત્રીના વધુ એક લુંટારૂ શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ ચલાવવાના બનાવને પગલે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શહેરીજનો માંગ કરી રહ્યા છે કે આવા લૂંટારૂ શખ્સોને પોલીસે વહેલી તકે ઝડપી લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.હાલ તો બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હોવાનું જાણવા મળ્યું છે

- text