અવની ચોકડીએ અંધારા ક્યારે ઉલેચાશે? તંત્ર પાસે પણ જવાબ નથી

- text


મોરબી : શહેરના અવની ચોકડીએ કાયમ રહેતા અંધારા મામલે વારંવાર રજુઆત કરવા છતાં મોરબી નગરપાલિકા સ્ટ્રીટપોલ પર બંધ રહેતી લાઈટો રીપેર કરવામાં સુસ્તી દાખવતું હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text

મોરબી શહેરની અવની ચોકડી વિસ્તાર સતત વાહન વ્યવહારથી ધમધમતો વિસ્તાર છે. અહીં મોડી રાત સુધી લોકોની અવરજવર રહે છે. ત્યારે આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ છે. સ્થાનિકોની વારંવારની રજુઆત બાદ પણ પાલિકાનું તંત્ર આ બાબતે ગંભીરતા દાખવીને લાઈટો ચાલુ નથી કરતી. કારણો અંગે પાલિકા કોઈ ખુલાસો નથી કરી રહી આથી લોકો સમજી શકતા નથી કે આ વિસ્તારની લાઈટો ચાલુ કરવામાં પાલિકાને શુ તકલીફ પડી રહી છે.

- text