ટંકારામાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે નિ:શુલ્ક નિદાન કેમ્પ

- text


ટંકારા : ટંકારાના ફુલિયા હનુમાન મંદિરે આવતીકાલે તા. 6 નવેમ્બરના રોજ સવારે 9થી બપોરના 12 વાઞ્યા સુધી રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના દર્દીઓ માટે નેત્ર નિદાન અને નેત્રમણિ બેસાડવાના નેત્રયજ્ઞ કેમ્પનુ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે દરેક આંખ પિડીતોને લાભ લેવા આયોજકોએ અનુરોધ કયોઁ છે. કેમ્પમા નિદાન કરી મોતીયાના દર્દીઓને જરૂર જણાયે રાજકોટ ખાતે રણછોડદાસ આશ્રમે આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવશે અને ત્યા તેનુ ઓપરેશન મફત કરી આપવામાં આવશે તેમજ દર્દીને ટંકારાથી વાહનની સુવિધા સાથે લઇ જવામાં અને પરત મુકવાની વ્યવસ્થા પણ ટૢસ્ટ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. નિદાન માટે નિષ્ણાંત ડોકટરો સેવા આપશે તેમજ મશીનથી ટાંકા વઞરનુ ઓપરેશન કરી આપવામાં આવશે તેમ આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે દર માસની છઠ્ઠી તારીખે આ પ્રકારના કેમ્પ યોજીને સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. વધુ વિગત માટે ટંકારાના ચંદ્રકાંત કટારીયા 8000328442, સુકેતુ રાવલ ભોપલીભાઈ 9879018185, જૈયંતિલાલ દુબરીયા માસ્તર 9978333441, ભાવિન સેજપાલ 8511111444 પર સંપર્ક કરવાનો રહેશે.

- text