મોરબી નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો

- text


ડ્રાઇવરે ટ્રેનને થોભાવી મૃતદેહને ટ્રેન મારફતે મકનસર પહોંચાડ્યો

મોરબી : મોરબી નજીક રેલવે ટ્રેક ઉપર આજે રાતના સમયે અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે આ મૃતદેહ ટ્રેનના ડ્રાઇવરને દેખાઈ જતા તેને ટ્રેન મારફતે આ મૃતદેહને મકનસર પહોંચાડ્યો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ આજે રાતના 8:30 વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેન મોરબીના નઝરબાગ સ્ટેશનથી ઉપડીને વાંકાનેર તરફ જઈ રહી હતી. તે વેળાએ ભડિયાદ પાસે મિલેનિયમ પેપર મિલ નજીક રેલવે ટ્રેક ઉપર અંદાજે 55 વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હતો.

- text

ટ્રેન ધીમી ગતિએ જતી હોય આ મૃતદેહ દેખાઈ આવતા ટ્રેનના ડ્રાઇવરે બ્રેક મારીને ટ્રેનને ઉભી રાખી દીધી હતી. અને આ મૃતદેહને ટ્રેન મારફતે મકનસર પહોંચાડ્યો હતો. હાલ આ મૃતક આધેડની ઓળખ મેળવવા પોલીસે તપાસ આદરી છે.

- text