દુકાનમાં અંતર (સ્પ્રે) ન હોવાનું કહેતા વેપારીને માર માર્યો

- text


માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લીધો

માળીયા : માળીયા મિયાણામાં દુકાનમાં અંતર ન હોવાનું કહેતા એક શખ્સે દુકાનદાર વેપારીને માર માર્યો હતો. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

- text

આ બનાવની માળીયા પોલીસ સ્ટેશન ખાતેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કરીમભાઇ હાસમભાઇ માણેક ઉ.વ-45 રહે નવી નવલખી તા-માળીયા મી. નામના વેપારીએ ફિરોજભાઇ ઓસ્માણભાઇ મોવર રહે-નવી નવલખી તા-માળીયા મી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.28 ના રોજ બપોરે એકાદ વાગ્યે વર્ષામેડી ફાટક પાસે નવલખી પાસે આવેલી પોતાની દુકાને તેઓ હતા. તે સમયે આરોપીએ ફરીયાદીની દુકાને આવી અંતર(સ્પ્રે) માગ્તા ફરીયાદીએ અંતર નહી હોવાનુ કહેતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી બાવળના ધોકા વડે માર મારી માથામા મુઢ ઇજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીએ આ બનાવની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text