વાંકાનેરના લુણસરીયા પાસે ટ્રેનની હડફેટે ચડેલા અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

- text


વાંકાનેર : વાંકાનેરના લુણસરીયા રેલવે સ્ટેશન પાસે ટ્રેનની હડફેટે ચડી જતા એક યુવકનું મોત થયું હતું. અકસ્માતના થોડા સમય બાદ યુવકનો મૃતદેહ મળી આવતા કઈ ટ્રેનની હડફેટે તેનું મોત થયું છે તે જાણી શકાયું નથી.

વાંકાનેરના લુણસરીયા રેલવે સ્ટેશન કી.મી. નં.695/0 પાસે કોઈ એક ટ્રેનની હડફેટે ચડી જતા એક અજાણ્યા યુવાનનું મોત થયું હતું. સાંજે 05 વાગ્યા પહેલાના કોઈ પણ સમયે થયેલા અકસ્માત બાદ ઘણા સમય પછી બનાવની જાણકારી મળતા કઈ ટ્રેનની ઠોકરે યુવકનું મોત થયું છે તેની તપાસ ચાલી રહી છે. મૃતકે ચોકલેટી ચેકસ વાળું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલ છે. મજબૂત શારીરિક બાંધો ધરાવતા મૃતકના જમણા હાથના અંગુઠા પાસે ગુજરાતીમાં રાધા ત્રોફાવેલ છે. જ્યારે કાંડા પર જય ખોડિયાર માંના લખાણ સાથે મૂર્તિ ત્રોફાવેલ છે. ઉપરોક્ત વર્ણન કરેલા શખ્સની કોઈને કઈ પણ જાણકારી હોય તો મો.નં. 9825215895 પર ઇન્દુભા ઝાલાનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ડેડબોડીને હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

- text


- text