ઢુંવા પાસે પથ્થરની ખાણમાં કામ કરતી વખતે વિજશોક લાગતા શ્રમિકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર નજીક ઢુંવા પાસે પથ્થરની ખાણમાં મજુરી કામ કરતી વખતે વિજશોક લાગતા શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ઢુંવા નજીક જામસર રિલાયન્સ પથ્થરની ખાણમાં કામ કરતો અને ત્યાંજ રહેતો સુનિલભાઈ નંદલાલભાઈ બીદ ઉ.વ.30 નામનો યુવાન ગઈકાલે જામસર રિલાયન્સ પથ્થરની ખાણમાં મજુરી કામ કરતો હતો. તે સમયે તેને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text