મોરબી જિલ્લા એકતા સમિતિની રચના : પત્રકાર પ્રવિણભાઈ વ્યાસ સહિતના સભ્યોની નિમણુક

- text


મોરબી : ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા મોરબી જિલ્લા માં કોમી સદભાવ જળવાઈ રહે અને તંગદિલી નિવારવા જિલ્લા એકતા સમિતિ ની રચના કરવા જિલ્લા કલેકટરના આદેશ બાદ કાર્યવાહીને અંતે પ્રભારી મંત્રીશ્રી મોરબી જિલ્લા તેમજ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લા એકતા સમિતિની રચનામાં આવી છે. સરકારી, બિનસરકારી નામો સાથે મોરબી જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે.

જેમાં સરકારી સભ્યશ્રીઓમાં અધ્યક્ષ સ્થાને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે,બી,પટેલ સાહેબ,જિલ્લા પોલીસ અધિકારી શ્રી કરણરાજ વાઘેલા સાહેબ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખટાણા સાહેબ,જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબ ની સભ્ય તરીકે તેમજ નિવાસી અધિક કલેકટર શ્રી કેતનભાઈ જોષી ની સભ્ય સચિવ પદે નિમણુંક કરવામાં આવી છે.

- text

જ્યારે બિનસરકારી સભ્યોમાં સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા (રાજકોટ), ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજા ( મોરબી માળીયા), ધારાસભ્યશ્રી મહમંદ જાવીદ પીરજાદા ( વાંકાનેર), કિશોરભાઈ ચીખલીયા (પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ), શ્રી નાગજીભાઈ ડાયાભાઇ બાવરવા, શ્રી પી.ડી.કાંજીયા, અગ્રગણ્ય નાગરિકો શ્રી અરવિંદભાઈ રાઠોડ (અનુ.જાતી),શ્રી લાલચંદભાઈ જ્યોતિભાઈ ટાવીયાડ (અનુ.જનજાતિ),શ્રીમતી ભગવતીબેન રણછોડભાઈ દલવાડી ( મહિલા સભ્ય), શ્રી ગોવિંદભાઇ સોમાભાઈ દેસાઈ (સા,સૌ,ય,વર્ગ ઓબીસી), શ્રી ઇશમાઇલભાઈ ફતેહમમદભાઈ કડીવાર( લઘુમતી), શ્રી કે,સી,જાડેજા (ટ્રેડ યુનિયન સભ્ય), તેમજ શ્રી પ્રવીણભાઈ વ્યાસ (પત્રકાર) તમામની સભ્ય તરીકે બે વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે.

- text