મોરબીની આર્ય વિદ્યાલયમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરાઇ

- text


મોરબીની આર્ય વિદ્યાલયમાં શિક્ષકદિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. 6થી 12 કૉમર્સના 115 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ તેમની વિશિષ્ટ શૈલીમા સમગ્ર દિવસ દરમિયાન શિક્ષણ કાર્ય કર્યું હતું. બામ્ભણીયા માહિર (ઉચ્ચ માધ્યમિક), ભાગીયા ભવ્ય (માધ્યમિક), મનીપરા ઋષિ (ઉચ્ચ પ્રાથમિક), સવસાણી પ્રિન્સ (પ્રાથમિક) વિભાગમાં આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવી હતી. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ક્લાર્ક અને પટાવાળાની ફરજ પણ નિભાવી હતી. આ તકે સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text