હળવદના સુર્યનગર ગામે રહેણાંક મકાન પર વીજળી પડી : જાનહાનિ ટળી

- text


મકાનના નળિયા તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ : આજુબાજુના ૧૫ જેટલા મકાનોમાં પણ અસર વર્તાઈ

હળવદ : મોરબી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ બંધાયેલો છે ત્યારે સવારના હળવદ તાલુકાના સુર્યનગર ગામે એક રહેણાંક મકાન પર વીજળી પડતાં મકાનના નળીયા તેમજ મકાન માં રહેલી ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઇ ગઇ હતી સાથે જ આજુબાજુના ૧૫ જેટલા મકાનમાં વીજળી પડવાને કારણે અસર વર્તાઇ હતી જેમાં પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ મળી ગઈ હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુર્યનગર ગામે રહેતા ઘોઘાભાઈ સુખાભાઈ હમીરપરા ના રહેણાંક મકાન પર આજે વહેલી સવારના વીજળી પડતા મકાનમાં રહેતા લોકો બહાર દોડી આવ્યા હતા જોકે વીજળી પડવાને કારણે જાનહાની થઈ નથી પરંતુ મકાનના નળીયા તેમજ મકાન માં રહેલ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બળી ગઈ હતી સાથે જ આ વીજળીના કારણે આજુબાજુના ૧૫ જેટલા રહેણાંક મકાનોમાં આની અસર વર્તાય હોય તેઓ જાણવા મળી રહ્યું છે.જ્યારે વિજળી પડતા તેના કડાકાને કારણે ગામલોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

- text