મોરબી જિલ્લામાં આજથી મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજથી મતદાર ચકાસણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં દરેક મતદાર પોતાની તેંમજ કુટુંબની અને તેમના મતદાન મથકની જાણકારી મેળવી શકશે.આ માટે મતદારોએ કોઈ એક પુરાવો વેબ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

- text

મોરબી જિલ્લામાં આજે 1 સપ્ટેમ્બરથી મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.જેમા મતદાર પોતાની તેમજ કુંટુબની અને તેમના મતદાન મથકની ખરાઇ કરી શકે છે. આ માટે મતદાર પોતે www.nvsp.in PORTALનો ઉપયોગ કરી ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, .આધાર કાર્ડ, રેશનકાર્ડ,, સરકારી ઓળખ કાર્ડ, બેંક પાસબુક, ખેડુત ઓળખકાર્ડ વગેરેમાંથી કોઈ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે.આ સિવાય મતદારોએ પોતાના નજીકના ગ્રામ પંંચાયતના ઓપરેટર /VCE, મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર, બીએલઓ (બુથ લેવલ ઓફિસર), VOTER HELP LINE APP ( GOOGEL PLAY STORE) DOWNLOAD કરી શકાશે, તેમજ 1950 ટોલ ફ્રી નંંબર પર ઉપર જણાવેલ કોઇપણ જગ્યાએથી મતદાર પોતાના ફોટો/પુુુુરાવા/મોબાઇલ નંબર આપી પોતાની ખરાઇ કરવા તમામ મતદારોનેે અપીલ કરવામાં આવી છે.

- text