- text
દિલ્હી ખાતે રવિદાસનું મંદિર તોડી પડાતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
હળવદ : સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુનું દિલ્હી સ્થિત મંદિર તોડી પડાતા હળવદ ખાતે રવિદાસ બાપુના ભક્તો-સેવકો દ્વારા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢયું હતું.
દિલ્હીના તુઘલકાબાદ વિસ્તારમાં આવેલ આશરે ૬૦૦ વર્ષ પ્રાચીન સંત શ્રી રવિદાસ બાપુનું મંદિર તોડી પડાતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે રોહીદાસવંશી સમાજ દ્વારા હળવદ મામલતદાર તેમજ હળવદ પોલીસને આવેદનપત્ર આપી આ બનાવ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
- text
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રવિદાસ બાપુના મંદિરને પુનઃ સ્થાપિત કરવામાં આવે અને મંદિરનો કબ્જો ગુરુ રવિદાસ જયંતિ સમારોહ સમિતિને સોંપવામાં આવે તેમજ આ માટે પૂરતું ભંડોળ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. આ તકે હરિભાઈ પરમાર, લવજીભાઈ પરમાર, કિશોરભાઇ પરમાર, કરશનભાઈ રાઠોડ, બીજલભાઇ પરમાર, નાગજીભાઈ પરમાર સહીતનાઓએ હાજર રહી દિલ્હીમાં બનેલી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી સંત શિરોમણી રવિદાસ અમર રહોના નારા લગાવ્યા હતા.
- text