મોરબી : તા. 10 અને 11ના રોજ કેન્સર નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ દ્વારા આયોજિત ડી.સી. મહેતા ડિસ્પેન્સરી-3, નવાડેલા રોડ મોરબીના ડો. અર્પણાબેન શાહ પ્રેરિત કેન્સર નિદાન કેમ્પ આગામી તારીખ 10ને શનિવારે સાંજે 4:00 થી 7:00 અને તારીખ 11ને રવિવારે સવારે 9:00 થી 12:00 દરમિયાન યોજાનાર છે.

મોરબીમાં ડો. અર્પણાબેન શાહ પ્રેરિત કેન્સર નિદાન કેમ્પ આગામી તારીખ 10 અને 11ના રોજ યોજાશે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી(M.S.) સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓને ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર (ફોન.ન. 223511) પાસે અગાઉથી નામ નોંધણી કરાવવા માટે તથા દર્દી તપાસ માટે આવે ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહે જણાવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text