ઉકરડામુકત મોરબી અભિયાન અંતર્ગત મોરબી પાલિકાના સેનિટેશન ચેરમેનનો ઘેરાવ

- text


મોરબી : મોરબીના ઉકરડાઓ નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા દોઢ માસથી ‘મારુ મોરબી, ઉકરડામુક્ત મોરબી’ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આપ દ્વારા 23 જુલાઈના રોજ ઉપવાસ આંદોલન શરુ થનાર છે, છતાં તંત્ર કોઈ પગલાં ન લેતું હોવાથી સેનીટેશન ચેરમેનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.

- text

આમ આદમી પાર્ટી-મોરબી દ્વારા છેલ્લા દોઢ માસથી મારુ મોરબી ઉકરડા મુકત મોરબી અભિયાન ચલાવાય રહ્યું છે. ત્યારે નિંભર તંત્ર હજુ સુધી ઊંઘમાં જ જણાતા આમ આદમી પાર્ટી દ્વારા આગામી 23 જુલાઈ ના રોજ ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. તંત્રને જગાડવા આપ દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા મોરબી સેનેટરી વિભાગના ચેરમેન અશોકભાઈ કાંજીયાનો તેમના ઘર પર ઘેરાવ કરી ‘ઉકરડા નાબૂદ કરો’ અને ‘ચેરમેન હાઈ હાઈ’ના નારા સાથે આવેદન આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ જો હજુ તંત્ર નહીં જાગે તો મોરબી નગરપાલિકાના તમામ સદસ્યનો ઘેરાવ કરવામાં આવશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text