સરતાનપર રોડ ઉપર તલાવડામાં ડૂબી જતાં યુવાનનું કરુણ મોત

- text


વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલા તલાવડામાં યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલા શિલોન સીરામીક કંપનીમાં રહેતો વિશાલ શિવશંકર શાહ ઉ.વ.18 નામના યુવાનનું ગઈકાલે તેના કારખાનાની પાછળના ભાગે આવેલા નાનકડા તલાવડામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં તેનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવ અકસ્માતનો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તપાસ હાથ ધરી છે.

- text

- text