મોરબી નજીક સાંસદ મોહનભાઇ કુંડારિયાનો અભિવાદન સમારોહ યોજાયો

- text


 

પાયાના કાર્યકરોની મહેનત અને પ્રજાએ મુકેલા વિશ્વાસને એળે નહિ જવા દઉં : મોહનભાઇ કુંડારિયા

મોરબી : રાજકોટ લોકસભા બેઠક પર બીજી વખત જંગી લીડથી ભવ્ય જીત મેળવનાર સાંસદ મોહનભાઇ કુંડારિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો.મોરબી નજીક આવેલ ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ અભિવાદન સમારોહમાં ભાજપના તમામ હોદેદારો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે પાયાના કાર્યકરોની રાત દિવસની મહેનત અને પ્રજાના વિશ્વાસની કારણે તેમની બીજી વખત રેકોર્ડ બ્રેક જીત થઈ છે તેથી કાર્યકરોની મહેનત અને પ્રજાએ મુકેલા વિશ્વાસને સાર્થક કરવા સતત પ્રયત્નશીલ રહેશે તેવી તેમણે હૈયાધારણા આપી હતી.

મોહનભાઇ કુંડારિયાના અભિવાદન સમારોહમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, ટંકારાના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતાલિયા, સીરામીક એસો.ના હોદેદારો નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ ઉધરેજા, પ્રવીણભાઈ ભાલોડિયા, હિરેનભાઈ પારેખ, જ્યોતિસિંહ જાડેજા,ગોવિદભાઈ વરમોરા, મગનભાઈ વડાવીયા, રવિભાઈ સનાવડા, દુર્લભજીભાઈ દેથરીયા,અરવિદભાઈ વાસદડિયા, કિશોરભાઈ ભાલોડિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ તકે પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે,ભાજપના કાર્યકરોની મહેનત અને ભાજપ પ્રત્યે દેશની જનતાએ ફરી મુકેલા વિશ્વાસથી વિરોધીઓના હાથ ફરી એકવાર હેઠા પડ્યા છે.નરેન્દ્રભાઈ મોદીને વડપણ હેઠળ ભાજપ સરકાર દેશમાં સુશાસન લાવીને સમગ્ર દેશમાં વિકાસની નવી નવી ઉચ્ચાઈઓ સર કરવા સતત પ્રયત્નશીલ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે,લોકસભાની ચૂંટણીમાં જે ભાજપ તરફી પરિણામ આવ્યા છે.તેનાથી ફરી એકવાર સાબિત થયું છે કે પ્રજાને ભાજપમાં શ્રદ્ધા અને સંપૂર્ણ ભરોસો છે અને ભાજપ ભરોસાને કાયમી જાળવી રાખવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરશે. આ ઉપરાંત સાંસદ મોહનભાઇ કુંડારિયાએ તેમની જીત પાછળ પાયાના કાર્યકરોની મહેનત કારણભૂત હોવાનું જણાવ્યું હતું.કાર્યકરોની મહેનત અને પ્રજાના વિશ્વાસથી જ તેમની જીત થઈ હોવાનું જણાવી કાર્યકરોના પ્રજા સંબંધીના પ્રશ્નો તથા લોકોને સુખાકારી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી.

- text