મોરબીમાં શનિવારથી બે દિવસ નિઃશુલ્ક ચેસ સેમિનાર

- text


જિલ્લાના ચેસના ખેલાડીઓનું સ્તર સુધરે એ હેતુથી આયોજન

મોરબી : ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ ચેસ જાગૃતિ મહા અભિયાન સંદર્ભે કચ્છના જાણીતા ચેસ કોચ સંજયભાઈ દાવડા અને મોરબીના નામાંકિત કોચ વિનુભાઈ પરમાર દ્વારા શનિવારે અને રવિવારે સમર કોચિંગ સેમિનાર યોજાશે.

આ આયોજન મોરબી જિલ્લામાં ચેસની રમતનો વ્યાપ વધે અને મોરબી જિલ્લાના ચેસના ખેલાડીઓની રમતનું સ્તર સુધરે એ હેતુસર કરવામાં આવ્યું છે. કચ્છના કોચ સંજયભાઈ દાવડા ચેસ માટે કચ્છ જિલ્લાની 100 થી વધુ શાળા કોલેજોમાં ચેસના સેમિનારો યોજી ચુક્યા છે અને હવે મોરબીમાં આવનાર છે. આ સેમિનારમાં રસ ધરાવતા તમામ ચેસરસિકોને નામ નોંધાવવા માટે વિનુભાઈ પરમાર 8780993460 તથા સંજયભાઈ દાવડા 9879489179નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text