મોરબીના વવાણીયામાં માતૃશ્રી રામબાઈમા મંદિરે 17મીએ ભવ્ય પાટોત્સવ

- text


મોરબી : મોરબીના વવાણીયામાં રામબાઈમાના મંદિરે તારીખ 17મેને શુક્રવારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં સવારે 8:00 કલાકે નવચંડી યજ્ઞ જેના યજમાન વાજડીના ભાવેશભાઈ રાઠોડ, મોરબીના વિશાલભાઈ ડાંગર તથા રાજકોટના રમેશભાઈ મકવાણા, 9:30 થી 11:00 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક વિચાર વિમર્શ, બપોરે 2:30 વાગ્યે મયુરનગર યુવા રાસ મંડળના વિજયભાઈ તથા ગીગાભાઇ આહીર દ્વારા રાસોત્સવ, સાંજે 4:30 થી 6:30 દરમિયા ધર્મ સભા તથા આહીર કસુંબલ કથા પુસ્તકનું જગન્નાથજી મહારાજના હસ્તે વિમોચન જેવા પ્રસંગો યોજાશે.

ધર્મ સભાના વક્તા બોટાદના આત્માનંદ સરસ્વતી છે. રાત્રે 9:30 વાગ્યે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકસાહિત્યકાર દેવાયાતભાઈ ખવડ, લોક ગાયિકા મીરાબેન આહીર તથા રશ્મિતાબેન રબારી રંગત જમાવશે. આ પાટોત્સવમાં સાયલા, ભાયાસર, મોરબી, કચ્છ જેવા ઘણા ગામોમાંથી સંતો મહંતો આવશે અને આશીર્વચનો પાઠવશે. આ પ્રસંગનો લાભ લેવા માટે રામબાઈમા મંદિર વ્યવસ્થાપક સમિતિ, મહંત જગન્નાથજી મહારાજ, પ્રભુદાસજી તથા કિશાનદાસજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 9925295093 તથા 8980849900 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text