મોરબીમા ૨૬મીએ સંત લાલાબાપાની પુણ્યતિથિ ઉજવાશે

- text


મોરબી : તારીખ 26ને શુક્રવારે જાગા સ્વામી મિત્રમંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા મોચી જ્ઞાતિના સંત ભક્ત લાલાબાપાની 78મી પુણ્યતિથિ નિમિતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

દર વર્ષે જાગા સ્વામી મિત્રમંડળ અને સમસ્ત મોચી સમાજ, મોરબી દ્વારા લાલાબાપાની પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ ઉજવણી મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ શેરી નંબર-8, વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધર્મેન્દ્રભાઈ નાગર, ઈશ્વરભાઈ રાઠોડ, નાથાભાઈ ઝાલા, કાંતિલાલ રાઠોડ, દિનેશભાઇ પરમાર તથા દિલીપભાઈ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

- text