મોરબી નજીક ગોવર્ધન સિલિકેટમાં ભીષણ આગ

- text


ફાયર બીગ્રેડે દોઢ કલાકની જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો

મોરબી : મોરબીના રંગપર અને જીવાપર ગામની વચ્ચે આવેલ ગોવર્ધન સિલિકેટના બોઇલરમાં અચાનક ભીષણ આગ લાગી હતી.જોકે આ બનાવની જાણ થતાં ફાયર બીગેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને દોઢ કલાકની જહેમતના અંતે આગ પર કાબુ મેળવી લીધો હતો.

- text

આ આગના બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર અને જીવાપર ગામની વચ્ચે આવેલ ગોવર્ધન સિલિકેટના બોઇલરમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.અને પલકવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડના વિનયભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા અને ફાયર બીગ્રેડ સ્ટાફે આગ પર સતત પાણીનો મારો ચલાવીને દોઢ કલાકની જહેમતના અંતે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હોવાનું જાણવા મળે છે.સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

- text