મોરબીમાં રહેણાંક મકાનમાં આગ :ઘરવખરી બળીને ખાખ

- text


સદનસીબે ઘરે કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી

મોરબી : મોરબીના મારૂતીનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

મોરબીના વાવડી રોડ પર આવેલ મારૂતીનગરમા એક રહેણાંક મકાનમાં થતા આગ લાગી હતી. આ આગના કારણે ફ્રીઝ સહિતના ઉપકરણો તેમજ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે ઘરના લોકો બહાર ગામ ગયા હોવાથી ઘરે કોઈ હાજર ન હતું. જો કે આ આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમના વિનય ભટ્ટ, જયપાલસિંહ અને પ્રિતેશ નગવાડિયા સહિતનાએ ૪૫ મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

- text

રહેણાંક મકાનમાં લાગેલી આ આગ ગેસનો બાટલો લીકેજ થવાથી અથવા તો શોર્ટ સર્કિટ થવાથી લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે.

- text