મોરબી: ગૌશાળાના લાભાર્થે આવતીકાલે શનિવારે રામામંડળનું આયોજન

- text


મોરબી: શહેરના રવાપર રોડ પર આવેલા બોનીપાર્ક ખાતે આવતીકાલ તારીખ 9ને શનિવારે રાત્રે 8:30 કલાકે ગૌશાળાના લાભાર્થે ગોધવિયા પરિવાર દ્વારા પીઠડના પ્રસિદ્ધ રામામંડળ ‘પીઠડાઈ ગૌસેવા રામામંડળ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પીઠડાઈ રામામંડળ દ્વારા રામદેવપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ કાર્યક્રમને માણવા માટે દેવકરણભાઈ ભવાનભાઈ ગોધવિયા, કમલેશભાઈ દેવકરણભાઈ ગોધવિયા, શૈલેષભાઇ દેવકરણભાઈ ગોધવિયા, અશ્વિનભાઈ દેવકરણભાઈ ગોધવિયા તથા સમગ્ર ગોધવિયા પરિવાર તરફથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text