મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

- text


મોરબી : મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા છે. જેમાં રાજપર ગામના દીકરા અને બગથળા ગામની દીકરીએ ખૂબ સાદાઈથી પ્રભુતામાં પગલાં માંડીને સમાજને રાહ ચીંધ્યો છે.

મોરબીના રાજપર ગામના કાનજીભાઈ લવજીભાઈ સનારીયાના પુત્ર અવિનાશના બગથળા ગામના પ્રભુભાઈ ભગવાનજીભાઈ ઠોરીયાની પુત્રી મનીષા સાથે લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા હતા. બન્નેની આજે જલવિધિ રાખવામાં આવી હતી. ત્યારે બન્ને પરિવારોએ જાગૃતતા દાખવીને પોતાના સંતાનોના તે જ દિવસે ઘડિયા લગ્ન કરી નાખવાનું નક્કી કર્યું હતું. જે મુજબ જલવીધી બાદ બપોરના સમયે નવદંપતિએ અગ્નિની સાક્ષીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આમ બન્ને પરિવારોએ પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરાવીને સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text