ટંકારા: સમસ્ત ગુર્જર સુથાર અને લુહાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરાશે

- text


ગુર્જર સમાજ દ્વારા સતત 16 વર્ષોથી આ ધાર્મિક મહોત્સવ ઉજવાય છે

ટંકારા: સમસ્ત ગુર્જર સુથાર અને લુહાર સુથાર સમાજ દ્વારા તારીખ 17ને રવિવારે ભવ્ય રીતે વિશ્વકર્મા જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમાજ દ્વારા છેલ્લા 16 વર્ષોથી આ ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરતા સમાજના પ્રમુખ અમૃતલાલ કારેલીયાએ જણાવ્યું હતું કે સવારે 8:30 કલાકે ભગવાન વિશ્વકર્માનું પૂજન કરીને મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ 9:00 કલાકે સમગ્ર ગ્રામવાસીઓની ઉપસ્થિતિ સાથે રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેની શરૂઆત સમાજના મંત્રી અશોકભાઈ ભાલારાની આગેવાનીમાં લક્ષ્મીનારાયણ મંદિરથી થશે અને છેલ્લે સંસ્થાની ધર્મસભા, સત્સંગ, સ્તુતિ અને કારોબારી બેઠક ઉપપ્રમુખ નવીનભાઈ બકરાણીયાની આગેવાનીમાં યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text