મોરબી : રામચરિત માનસ પારાયણ યોજાઈ

- text


મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ટીંબાવાડી માતાજી મંદિરે યોજાયેલી રામકથાનું મોટી સંખ્યામાં લોકોએ રસપાન કર્યું

મોરબી : મોરબી મહેન્દ્રનગર ગામ નજીક આવેલા ટીંબાવાડી માતાજીના મંદિરે રામચરિત માનસ્ પારાયણ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ રામકથાનું રસપાન કર્યું હતું.

આ રામ પારાયણના મુખ્ય વક્તા તરીકે મોરબીના વિદ્વાન, પ્રખર શાસ્ત્રીજી શ્રી દિલીપભાઈ દવે રામચરિતમાનસચોપાઈઓસુમધુર અને રસાળ શૈલીમાં ગાન પઠન અને શ્રવણ કરાવ્યું હતું . બીજા દિવસે ભગવાન રામચંદ્રજીનો મહાયજ્ઞ યોજાયો હતો .તેના મુખ્ય પ્રધાન આચાર્ય તરીકે શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે એ વેદોક્ત વિધિ વિધાન મુજબ યજ્ઞ યજ્ઞાદિ કાર્ય કરાવ્યું હતું .સૌ ભકતજનો શ્રોતાગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text