ટંકારા : એટીવીટીના નાયબ સચિવ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળની મુલાકાતે

- text


સ્થળ તથા ગામ વિષે ઝીણવટ ભરી માહિતી મેળવી

ટંકારા : ટંકારા એટલે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. આ સ્થળની મુલાકાત લેવા અને ટંકારા મામલતદાર કચેરી ખાતે દફ્તર તપાસણી અર્થે ગાંધીનગરથી આવેલા એટીવીટીના નાયબ સચિવ રાજેશ જોશીએ આર્યસમાજના સ્થાપક એવા દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ નિહાળી હતી અને ગુરુકૂળની પદ્ધતિથી વાકેફ થયા હતા.

- text

આ તકે સંસ્થાના આચાર્ય રામદેવ શાસ્ત્રીએ તેઓને એક પુસ્તક ભેટ આપીને આવકાર્યા હતા. આ તકે ટંકારાના મામલતદાર પંડ્યા, સર્કલ જાડેજા અને એટીવીટીના પદમાણીભાઈ હાજર રહ્યા હતા અને ટંકારા ગામની ઝીણવટ ભરી માહિતી એટીવીટીના અધિકારીને આપી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text