મોરબીના કોંગી અગ્રણીઓએ ગાંધીનગર ખાતે ધારાસભ્ય મેરજાના ખબર અંતર પૂછ્યા

- text


મોરબી : મોરબીના કોંગી અગ્રણીઓએ ગાંધીનગરમા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ધારાસભ્ય મેરજાની મુલાકાત લઈને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. સાથે જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

મોરબી- માળિયાના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાની તબિયત લથડતા તેઓને ગાંધીનગર ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ અરજણભાઇ , સદસ્ય ભાવિનભાઈ , ગીરીશભાઈ ઘેલાણી , હરિભાઈ સહિતના આગેવાનોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્રિજેશ મેરજાની મુલાકાત લઈને તેઓના હાલચાલ પૂછ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text