એસ સી, એસ ટી, ઓ બી સી, લઘુમતી તેમજ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે

- text


સમાજના સંગઠન અને સમરસતા માટે ઘડાતો તખ્તો

મોરબી : એક જાન્યુઆરીના શૌર્યદિન નિમિતે એસ સી, એસ ટી, ઓ બી સી લઘુમતી તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત સમાજના સંગઠન તેમજ સમરસતા માટે મહાસંમેલનનું આવનારા દિવસોમાં આયોજન કરવું તેવું ઠરાવવામાં આવ્યું હતું.
ટંકારા તાલુકાના તમામ ગામોમાં હોદ્દેદારોની નિમણૂક કરવા તેમજ આગામી આયોજન વિશેની જાણકારી માટે એક ટીમનું ગઠન કરવા માટે સમાજના આગેવાનો બીજી જાન્યુઆરીથી સમગ્ર ટંકારા તાલુકાનો પ્રવાસ શરૂ કરશે.
સમાજના સંગઠનની આગામી બેઠક તા.૧૩-૧-૨૦૧૯ને રવિવારે બપોરે ૩ કલાકે ટંકારા સર્કિટહાઉસ ખાતે યોજાનાર છે. જેમાં સમાજના તમામ સક્રિય આગેવાનો તેમજ કાર્યકર્તાઓને હાજર રહેવા અનુરોધ કરાયો છે.
તા.૧ જાન્યુઆરીએ યોજાયેલ પ્રથમ બેઠકમાં સંગઠનના કન્વીનર નાગજીભાઈ ચૌહાણ તેમજ જ્યુભા ઝાલા, સલીમભાઈ અબ્રાણી, હમીરભાઈ માલધારી, મહેશભાઈ લાધવા, કૌશિકભાઈ પ્રજાપતિ, આમદભાઈ માકડીયા, રાજેશભાઈ ઠાકોર, હીરાભાઈ રબારી, રણુંભા ઝાલા, ધર્મેન્દ્ર ગૌસ્વામી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, રઘુભા જાડેજા, રામદેવસિંહ ઝાલા, હાસમબાપુ, હસમુખભાઈ સોલંકી, રમેશભાઈ ગેડિયા, શ્રીપાલસિંહ ઝાલા સહિતના આગેવાનોએ હાજર રહી આયોજનને સફળ બનાવ્યું હતું.

- text

- text