મોરબી : ગૌમૂત્ર ચિકિત્સા દ્વારા અસાધ્ય રોગો માટે મફત નિદાન કેમ્પનું આયોજન

- text


ગૌમૂત્ર ચિકિત્સા દ્વારા થશે અનેક રોગીઓની સારવાર

મોરબી : રાજકોટની ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર અને શ્રીજી ગૌશાળા વીસ વર્ષથી મફત નિદાન કેમ્પનું આયોજન કરતાં રહે છે અને આ વીસ વર્ષમાં ગૌમૂત્ર ચિકિત્સા દ્વારા ૭ લાખથી વધુ દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે.

- text

આ સંસ્થા દ્વારા આગામી તારીખ ૬ને રવિવારે સવારે ૯ વાગ્યાથી મોરબી નગરપાલિકા કોમ્યુનિટી હૉલ ખાતે મોરબીમાં સૌપ્રથમ વખત મફત મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધાવવા માટે રાજા આયુ કેર, શનાળા રોડ (મો. નંબર- ૯૪૨૭૨૩૬૨૪૮ અને રાજેશ ક્રિએશન, રવાપર રોડ (મો. નંબર- ૯૯૨૫૯૩૧૯૮૭) નો સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે.

- text