મોરબીના ધૂળકોટમાં પરણીતાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

- text


મૃતકના પિયરયાનો તેમની હત્યા કરાયાનો આક્ષેપ

મોરબી : મોરબીના ધૂળકોટ ગામે રહેતી પરિણીતાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે તેણીના પિયરપક્ષના લોકોએ પોતાની પુત્રીની હત્યા કરાયાનો આક્ષેપ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ધૂળકોટ ગામે રહેતી સવિતાબેન ઉર્ફે કંચનબેન ખીમજીભાઈ ભાંભી (ઉ.વ.45) નામની પરણીતાનો આજે સવારે તેના ઘરેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો .બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃતક પરણીતાના પિયરપક્ષના લોકોએ તેમની પુત્રીની હત્યા કરાયાનો આક્ષેપ કર્યો હતો.

- text

આ બનાવ અંગે તાલુકા પીએસઆઇ ગોહિલે જણાવ્યું હતું કે બનાવનું સાચું કારણ જાણવા માટે પેનલ ડોકટરોની ટિમ દ્વારા મૃતકની ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે ઉપરાંત આ બનાવમાં એફએસએલની મદદ પણ લેવામાં આવશે અને તપાસમાં જે કારણ બહાર આવે તે અનુસાર ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરાશે.

- text