મોરબીમાં ડો. આંબેડકરના 63માં નિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબી ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૩માં નિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાશે, દલિત સમાજ દ્વારા વિશ્વ વિભૂતિ, વિશ્વરત્ન, દેશની સમસ્ત નારિજાતીના ઉધ્ધારક એવા મહામાનવ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેકડકરજીના ૬૩માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધા સુમન અને પુષ્પાજંલી અર્પણ કરી કેન્ડલ માર્ચ કાર્યક્રમ દ્વારા ડો.આંબેડકર ચોક સિવિલ હોસ્પીટલ મોરબી નગરપાલિકા ખાતે તા.૬-૧૨-૧૮ સમય સાંજે ૫:૩૦ કલાકે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ તકે મોરબી જીલ્લાના દલિત સમાજના ભાઇઓ – બહેનો અને વડીલો સહીત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયુ છે.

- text

- text